ચાર
સાધુઓ એ બે અઠવાડિયા
સુધી મૌન રહી ધ્યાન ધરવાનું નક્કી કર્યું. અતિ ઉત્સાહમાં તેમણે પહેલો આખો દિવસ મૌન રહી ધ્યાન માં પસાર કર્યો. પહેલો દિવસ પૂરો થયા બાદ રાત્રિએ તેમણે સામે પ્રગટાવેલી મીણબત્તીની જ્યોત સંકોરાઈ અને બુઝાઈ ગઈ.
આ
જોઈ પહેલો સાધુ બોલી ઉઠ્યો," અરે રે! મીણબત્તી બુઝાઈ ગઈ. "
એ
સાંભળી બીજો સાધુ બોલી પડ્યો," અરે ચૂપ રહે... આપણે બોલવાનું નથી! "
ત્રીજા
સાધુથીયે ન રહેવાયું અને
તે ગુસ્સામાં બોલી ઉઠ્યો," આ શું? તમે
બે જણે મૌન શા માટે તોડયું?
"
ચોથો
હસતા હસતાં બોલ્યો," વાહ! એક માત્ર મેં
મૌન જાળવ્યું! "
વાર્તા
નો સાર :
દરેક
સાધુએ મૌન તોડ્યું જુદા કારણ સર. એ કારણો જ
આપણી અંત:યાત્રામાં સામાન્ય રીતે વિઘ્નરૂપ બનતી આડખીલીઓ છે : અડચણ , અન્ય પ્રત્યે જલ્દીથી અભિપ્રાય બાંધી લેવાની વૃત્તિ, ક્રોધ અને અભિમાન.
પહેલો
સાધુ પોતાના અનુભવ દરમ્યાન એક અડચણ (મીણબત્તી)
દ્વારા વિચલિત થઈ ગયો અને
શું વધારે મહત્વનું છે તેનું ભાન
ભૂલી ગયો. પ્રતિક્રિયા આપ્યા વિના સાક્ષી બની રહેતાં શીખવું જોઈએ.
બીજો
સાધુ પોતાના કરતાં, બીજાઓ નિયમો અનુસરે છે કે નહિ
તે અંગે વધારે ચિંતિત હતો. તે બીજાની કોઈક
નિયમ ન અનુસરવા બદલ
ટીકા કરતી વેળા એ ભૂલી ગયો
કે પોતે પણ એ જ
નિયમ નો ભંગ કરી
રહ્યો છે.
ત્રીજા
સાધુ પર પહેલા બે
સાધુઓ પ્રત્યેનો ક્રોધ અસર કરી ગયો અને માત્ર એ ક્ષણિક ક્રોધના
આવેગે તેની આખા દિવસ ની મૌન રહેવાની
મહેનત પર પાણી ફેરવી
દીધું.
ચોથા
સાધુ નું અભિમાન તેની હાર નું કારણ બન્યું. તેને એમ જ લાગતું
હતું કે તે અન્ય
સાધુઓ કરતાં શ્રેષ્ઠ છે અને આ
લાગણીએ જ તેનું ભાન
ભૂલાવ્યું.
એ
બોલ્યો જ શા માટે?
એ
ચૂપ રહી શક્યો હોત અને તેમણે નક્કી કરેલ અભિયાનમાં તે સફળ થઈ
શક્યો હોત. પણ એમ થાત
તો કદાચ બાકી ના ત્રણ સાધુઓએ
ઝઘડવાનું ચાલુ રાખ્યું હોત અને ચોથા સાધુ નું મૌન તેમનાં ધ્યાન બહાર જ રહી જાય
એમ બની શક્યું હોત.
કેટલાક
લોકો આવાં હોય છે. તેમનો આશય હોય છે કે અન્યો
તેમણે કરેલા કોઈક સારા કામની નોંધ લે, જો એમ ન
બને તો તેઓ કદાચ
એ સારું કામ કરે જ નહીં એમ
પણ બને! તેમની માન્યતા એવી હોય છે કે સારા
કામ નો બદલો પ્રયત્ન
માં નહીં પણ ખ્યાતિ માં
હોય છે.
એક
સરસ વાક્ય છે : જ્ઞાનનું કામ છે બોલવું પણ
શાણપણનું કામ છે સાંભળવું.
જ્યારે
આપણે સાચા અર્થમાં સાંભળતા શીખી જઈએ છીએ,અડચણ આવ્યે ત્વરીત પ્રતિક્રિયા ના આપવાનું શીખી
લઈએ છીએ અન્ય પ્રત્યે પૂર્વગ્રહ નથી બાંધી લેતાં અને ક્રોધ અને અભિમાન મનમાં નથી આણતા ત્યારે જ આપણે સાચા
મૌનનો અર્થ સમજી શકીએ છીએ.
('ઈન્ટરનેટ
પરથી')
No comments:
Post a Comment