Sunday, January 21, 2018

સાચી મિલકત

૧૦ દિવસ પછી જતીનભાઈ ઘરે આવી ગયા.
એમણે એક મહત્વનો નિર્ણય કર્યો મનોમન.
કોઈને પણ ખબર પડવા દીધી. અને એમણે એમના નિર્ણયને શબ્દ રૂપ આપ્યું.પત્ર સ્વરૂપે... 

દીકરા વહુને રૂમ માં બોલાવી પત્ર આપી દીધો.
દીકરાનું નામ સુશીલ અને વહુનું નામ હતું અમી
ત્રીજી વ્યક્તી હતી દીકરી અને એનું નામ હતું કલ્પના.  

રૂમ માંથી પોતે બહાર નીકળી ગયા.
પત્રમાં લખ્યું હતું કે "મારી પાસે જે પણ કઈ મિલકત છે તે તમે તમારી મરજી મુજબ વહેંચી લેશો,
અને થોડું ઘણું અમારા ઘડપણ માટે આરક્ષીત રાખજો.કેટલું રાખજો હું નથી કહેતો પણ અમારે પાછલી ઉમરમાં કોઈ પાસે હાથ લંબાવવો પડે ધ્યાન રાખજો.બાકીની તમામ મિલકત મળી સમજી ને વહેચી લેજો. તમે જે નિર્ણય લેશો તે મને માન્ય છે
હા એક ખાસ વાતતમારી બાને વાતની જાણ નથી." 
જતીનભાઈ અને નમ્રતાબેન બહાર બેસી સંતાનોના નિર્ણયની રાહ જોતા બેસી રહ્યા.

નમ્રતાબેન એટલું બોલ્યા કેમને મારા બાળકો, તેમના ઉછેર અને મેં આપેલા સંસ્કાર પર ભરોસો છે.“

જતીન ભાઈ બોલ્યા, “જોઈએ તારા સંસ્કાર શું કહે છે..???" 

બાજુ ત્રણ જણ પત્ર વાંચી દિગ્મૂઢ થઇ ગયા.
બે સ્ત્રી જે વિચાર્યું તે આશ્ચર્યજનક હતું.
એક સ્ત્રી જે ઘરની વહુ હતી તેણે તેના પતિ ને કહ્યું, “તમે જે નિર્ણય લેશો તે હું માથે ચઢાવીશ તમારી  સહધર્મચારીણી છું, સાચા અર્થમાં ધર્મ નિભાવીશ." 

બીજી સ્ત્રી ઘરની એક દીકરી (કલ્પના)હતી,
તેણે પોતાના ભાઈને કહ્યું, “ભાઈ આપણે બંને એક મા ની કૂખેથી અવતર્યા છીએ.તું જે નિર્ણય લેશે તે મને માન્ય છે. હું સહોદરમાં ઉછર્યાનો ધર્મ નિભાવીશ." 

સુશીલ બંને સ્ત્રીઓને વહાલથી ભેટી પડ્યો
ત્રણેયની આંખમાં ચમક આવી એક અજબ વિશ્વાસની. તેઓ બહાર આવ્યા.

માતા પિતાની સામે ઉભા રહ્યા. સુશીલે અમી ને કહ્યું ," અમી,જા રસોડામાં... આજે લાપસી બનાવજે.
હું આજે મને મળનાર મિલકતથી ખૂબ ખુશ છું’”.

અને અમી રસોડામાં ચાલી ગઈ.
દીકરાના વેણ સાંભળી માતાપિતાના ચહેરા પર સમજાય  એવી રેખા ઉપસી આવી.
સુશીલ અને કલ્પના માતા પિતા પાસે આવ્યા
અને એમની આંખોમાં આંખો પરોવી.
અમી રસોડામાંથી પતિનો નિર્ણય સાંભળવા આતુર બની. ભાઈ બહેન માતા પિતાને પગે પડ્યા.
અને ચારેયની આંખોમાં ચોમાસું બેસી ગયું.

દીકરો ભાવુક હ્રદયે બોલ્યો, “પપ્પા, સ્થૂળ મિલકત બધી જે છે તે તો સમય જતા ખૂટી જશે.પણ મારી સાચી મિલકત જે અમૂલ્ય છે, જે કદી પણ ખૂટવાની નથી, અક્ષય પાત્ર છે મિલકત છે મારા માતા પિતા.
મમ્મી તને તારા સંસ્કાર પર ભરોસો નથી...????
પપ્પા તમને મારા પર વિશ્વાસ નથી? અરે,મને તો કાંઈ જોઈતું નથી. મને તો મારા મા બાપ જોઈએ છે. અમારી ધરોહર છે.અમારી સાચી મિલકત છે અમારા મા- બાપ.”

સાંભળી માનું હદય ખુશીથી છલકાઈ ગયું.
અને એમણે મીઠા ઠપકા ના સૂરમાં જતીન ભાઈ ને કહ્યું, “મેં કહ્યું  હતું ને કે મને મારા સંસ્કાર પર પૂરો ભરોસો છે."
જતીન ભાઈ પણ રડવાનું ખાળી શક્યા.દૂર ઉભેલી અમીએ  પણ પતિના નિર્ણયને આવકારીને હર્ષના આંસુ વહાવી દીધા

.......…..અને જતીનભાઈએ કહ્યું, ”અરે વહુ બેટા આજે તો ખરેખર લાપસી મુકો.આવી અમૂલ્ય મારી મિલકતને કદી પણ વાસ્તુ દોષ નહિ નડે." 

- અજ્ઞાત 


(ઇન્ટરનેટ પરથી)