મૌનનો મહિમા અપાર છે. બાઈબલ કહે છે જીવનમાં કઈ કઈ પરિસ્થિતીમાં મૌન ધારણ કરવું જોઇએ :
૧. ક્રોધના આવાવેશમાં મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:૧૭)
૨. જ્યારે તમારી પાસે સઘળા સત્યો ના હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૮:૧૩)
૩ જ્યારે તમે હકીકતની ચકાસણી ન કરી હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Deut ૧૭:૬)
૪ જ્યારે તમારા શબ્દો કોઈ નબળી વ્યક્તિને દુ:ખ કે હાનિ પહોંચાડી શકે એમ હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (૧ Cor ૮:૧૧)
૫. જ્યારે સાંભળવાનો સમય હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૩:૧)
૬. જ્યારે પવિત્ર વસ્તુઓને હળવાશથી લેવા મન લલચાય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Eccl ૫:૨)
૭. જ્યારે તમને પાપ વિષે રમૂજ કરવાનું મન થાય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:૯)
૮. જ્યારે તમારે તમારા શબ્દો બદલ પાછળ થી શરમાવાનો વારો આવવાની સ્થિતી હોય ત્યારે મૌન ધારણ
કરવું જોઇએ. (Prov ૮:૮)
૯. જ્યારે તમારા શબ્દો ખોટી છાપ પાડવાના હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૭:૨૭)
૧૦.જ્યારે કોઈ મુદ્દા સાથે તમારે કશી લેવાદેવા ન હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:૧૦)
૧૧. જ્યારે તમને હળાહળ અસત્ય બોલવાની લાલચ થાય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૪:૨૪)
૧૨.જ્યારે તમારા શબ્દો અન્ય કોઈની પ્રતિભાને ઠેસ પહોંચાડનારા હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૬:૨૭)
૧૩. જ્યારે તમારા શબ્દો કોઈની મિત્રતા તોડનારા હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૬:૨૮)
૧૪.જ્યારે તમે પોતાની જાતને ધર્મસંકટમાં અનુભવો ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (James ૩:૯)
૧૫.તમે કોઈક વાત રાડ પાડ્યા વિના કહી શકો એમ ન હોવ તેવી સ્થિતીમાં મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૨૫:૨૮)
૧૬. જ્યારે તમારા શબ્દો ઇશ્વરને, તમારા મિત્રોને કે તમારા પરીવારજનો ને હલકા ચિતરનારા હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (૧ Pt ૨:૨૧-૨૩)
૧૭. પાછળ થી તમારે તમારા શબ્દો ગળી જવા પડે તેમ હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૮:૨૧)
૧૮. જ્યારે તમે તમારી વાત એક કરતા વધારે વાર દોહરાવી ચૂક્યા હોવ ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૯:૧૩)
૧૯. જ્યારે તમને કોઈ લુચ્ચા કે કપટી માણસની પ્રશંસા કરવાનું પ્રલોભન જાગે ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૨૪:૨૪)
૨૦. જ્યારે તમારે બોલવા કરતા કામ કરવાની વધારે જરૂર હોય ત્યારે મૌન ધારણ કરવું જોઇએ. (Prov ૧૪:૨૩)
જે કોઈ પોતાનું મોઢું અને જીભ સંયમમાં રાખે છે તે પોતાના આત્માને મુશ્કેલીઓથી દૂર રાખે છે. (Prov ૨૧:૨૩)
(From Internet)