Saturday, May 27, 2017

માતાપિતા પ્રત્યે દુર્લક્ષ સેવશો નહિ

આપણે કમાવામાં એટલા વ્યસ્ત થઈ જતા હોઇએ છીએ કે જીવતા ભૂલી જઇએ છીએ.આપણે આપણી જાતમાં એટલા રચ્યાપચ્યા રહેતા હોઇએ છીએ કે ક્યારેક પણ યાદ નથી રહેતું કે સમય સતત સરી રહ્યો છે અને દરેક વિતતી ક્ષણ સાથે આપણા માતાપિતા વધુ ઘરડા થતા જાય છે. તો એક આકરું પણ સનાતન સત્ય છે કે આપણા આત્મીયજન સદાયે આપણી સાથે રહેવાના નથી.ભલે ગમે તેટલી આકરી અને ગેરવ્યાજબી જણાય પણ હકીકત છે કે એક દિવસ આપણા માતાપિતા આપણો સાથ સદાયને માટે છોડી ચાલ્યા જવાના છે. વિશ્વવિખ્યાત શેફ વિકાસ ખન્નાએ વિશેની હ્રદયસ્પર્શી પોસ્ટ તેના પિતાને સ્મરીને ફેસબુક પર થોડા સમય પૂર્વે મૂકી હતી , તે આજે ઇન્ટરનેટ કોર્નરમાં રજૂ કરી છે, જે આપણને સૌને એક યાદ રાખવા જેવો પાઠ શિખવી જાય છે. એક અગમ્ય વાસ્તવિકતા છે કે આપણામાંના મોટા ભાગના લોકો માતાપિતાને ગણકારતા નથી, તેમના પ્રત્યે દુર્લક્ષ સેવે છે.જો તમે જાણ્યે-અજાણ્યે એમ કર્યુ હોય તો લેખ તમારી આંખો ખોલનારો સાબિત થશે.
વર્ષ ૨૦૧૫ના જાન્યુઆરીની ૩૧મી સવારના નિત્યક્રમ પ્રમાણે મેં મારા માતાપિતા સાથે વાત કરવા ઘેર ફોન કર્યો. પપ્પા બે કારણોસર અતિ ઉત્સાહમાં હતા : એક સેરેના વિલિયમ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ફાઇનલ માટે રમી રહી હતી અને બીજું મર્સીડીઝે મને તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કર્યો હતો. તેમણે મને કહ્યું કે તેમના દીકરાની મર્ક ગાડીમાં સફર કરવાનું તેમનું સ્વપ્ન હતું! મેં તેમને હસીને કહ્યું કે વાત તેમણે મને પહેલા કેમ કરી? તેમણે પણ મજાકીયા સ્વરમાં કહ્યુ,"તે મને ક્યારેય પૂછ્યું ક્યાં હતુ?" અમે બંને વાત પર હસ્યા અને અમારી વાત પૂરી થઈ.
દિવસે બપોરે તેઓ ગુજરી ગયા. કોઈ સંતાન આવડી મોટી દુ:ખદ ઘટના માટે તૈયાર નથી હોતું, તમારા હ્રદયમાં - જીવનમાં એવો એક શૂન્યાવકાશ પેદા કરે છે જે ફરી પાછો ક્યારેય ભરી શકાતો નથી. ભગવાને તમને છેતર્યા હોય એવી લાગણી તમને થાય છે. તમે એક પ્રકાર ની અસુરક્ષિતતા અનુભવો છો.
મારા મનમાં તેમણે મને છેલ્લે કહેલા શબ્દો હજી પડઘાયા કરે છે " તે મને ક્યારેય પૂછ્યું ક્યાં હતુ?" ગોઝારા દિવસ પછી મને હજારો વાર એવો વિચાર આવ્યો છે કે કાશ હું તેમના માટે થોડું વધુ કરી શક્યો હોત, તેમને વધુ ગૌરવની લાગણીનો અનુભવ કરાવી શક્યો હોત,તેમની સઘળી ઇચ્છાઓ પૂર્ણ કરી શક્યો હોત...
જીવનમાં શિખવા જેવો પાઠ : એક પણ વધુ ક્ષણની રાહ જોશો. આપણાં માતાપિતા ક્યારેય આપણી પાસે કંઈ માગશે નહિ અને પોતાની પૂરી જિંદગી આપણી માટે ખર્ચી નાંખશે. તેમને સરપ્રાઈઝ આપો, તેમને બાળકની જેમ લાડ લડાવો, તેમને આલિંગન આપો, તેમને તેમના સપનાઓ-અરમાનો વિશે પૂછો અને તેમને ભરપૂર પ્રેમ આપો. કારણ એક દિવસ તમે ગાડીઓનો કાફલો ખરીદવા જેટલા સમર્થ હશો પણ તમે ક્યારેય સમય ખરીદી શકશો નહિ. આપણે સૌ ઇચ્છીએ છીએ કે સમયનું ચક્ર ઉલટું ગુમાવી આપણા સદગત સ્વજનોને ફરી પાછા લઈ આવીએ. પણ શું શક્ય છે? બદનસીબે ના, શક્ય નથી!
તો જરા જેટલીયે રાહ જુઓ...તેમની દરેક ઇચ્છા પૂરી કરો. તમારા માતાપિતાના ગુજરી ગયા બાદ તેમનું મનપસંદ ખાણું ૧૦૦ બ્રાહમણોને ખવરાવવાનો કોઈ અર્થ નથી. તેમને અત્યારે ખવડાવો અને તેમની આંતરડી ઠારો. તમે આજે જીવો છો કારણકે તેઓ તમને જગતમાં લાવ્યા તો હવે તમારો વારો છે. તેમને સઘળુ આપો જેથી તેમને જગતમાં તમને લાવ્યા બદલ ગર્વ અને ખુશી ની લાગણી થાય! તેમના માટે તો તમે એમની દુનિયા છો.

('ઈન્ટરનેટ પરથી')

Sunday, May 21, 2017

પરિપક્વતા શું છે?

બૌદ્ધધર્મી લામાઓ પરિપક્વતા ની વ્યાખ્યા કંઈક પ્રમાણે કરે છે :
જ્યારે તમે અન્યોને બદલવાના પ્રયાસો બંધ કરી પોતાની જાતને બદલવા પર ધ્યાન કેન્દ્રીત કરો છો ત્યારે એ પરિપક્વતા છે.
જ્યારે તમે લોકોને તેઓ જેવા છે એવા સ્વીકારો ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે એમ સમજો કે દરેક જણ પોતપોતાની રીતે , પોતાના દ્રષ્ટીકોણ થી સાચા છે ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે જતુ કરતા શિખી જાઓ ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે સંબંધોમાં બદલામાં કંઈક પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખવાનું બંધ કરી દો અને નિસ્વાર્થ ભાવે માત્ર આપવાની ભાવના કેળવો છો ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે સમજવા લાગો કે તમે જે કંઈ પણ કરો છો પોતાની શાંતિ માટે કરો છો ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે જગત સમક્ષ સાબિત કરવાનું બંધ કરી દો છો કે તમે કેટલા બુદ્ધિશાળી છો ત્યારે તમે ખરા અર્થમાં પરીપક્વ થઈ ગયા છો.
જ્યારે તમે બીજાઓ પાસે થી સ્વીકૃતિ કે માન્યતા મેળવવાનું છોડી દો છો ત્યારે પરિપક્વતા છે.
જ્યારે તમે બીજાઓ સાથે સરખામણી કરવા નું છોડી દો છો ત્યારે પરિપક્વતા છે.
૧૦ જ્યારે તમે તમારી જાત સાથે શાંતિમાં હોવ છો ત્યારે પરિપક્વતા છે.
૧૧ જ્યારે તમે જરૂરિયાત અને ઇચ્છા વચ્ચેનો ભેદ સમજવા લાગો અને ઇચ્છાનો ત્યાગ કરવા લાગો છો ત્યારે પરિપક્વતા છે.
૧૨ જ્યારે તમે સુખને ભૌતિક વસ્તુઓ સાથે સાંકળવાનું બંધ કરી દો છો ત્યારે પરિપક્વતા છે.
સૌને સુખી પરીપક્વ જીવન પ્રાપ્ત થાઓ એવી શુભેચ્છા!


('ઈન્ટરનેટ પરથી')

મધર્સ ડે સ્પેશિયલ - માતા એટલે માતા

યુવાન માતાએ પોતાના ડગ જીવનપથ પર માંડયા.તેણીએ વટેમાર્ગુને પૂછ્યું"શું રસ્તો લાંબો છે?" વટેમાર્ગુએ જવાબ આપ્યો:"હા.અને અતિ કપરો પણ.તું એના અંત સુધી પહોંચીશ ત્યાં સુધી તો તુ ઘરડી પણ થઈ ગઈ હોઇશ.પણ અંત શરુઆત કરતા ચોક્ક્સ સારો હશે."પણ યુવાન માતાએ તો ખુશ હતી.તે માનતી હતી કે યાત્રા દરમ્યાનનાં વર્ષો તો તેણીના જીવનના અતિ યાદગાર સુખદ વર્ષો હશે.તેણી તો પોતના બાળકો સાથે હોંશભેર રમતી,માર્ગમાં આવતા ફૂલો બાળકો માટે ચૂંટતી,ઝરણાંના ખળખળ વહેતા પાણીમાં બાળકોને નવડાવતી આગળ ધપતી ચાલી.સુર્યપ્રકાશમાં કુદરતને ખોળે તેના બાળકો રમતા રમતા મોટા થવા લાગ્યા.તેણી ખુશીથી ક્યારેક રોઇ પડતી અને લવતી:"આથી સુખદ બીજુ શું હોઇ શકે?"
                પછી રાત્રિ આવી અને સાથે વંટોળ આવ્યું.માર્ગમાં અંધારુ છવાઈ ગયું.બાળકો ઠંડી અને ડરથી થરથરવા લાગ્યા.માતાએ તેમને પોતાની પાસે ખેંચ્યા અને તેમને ધાબળો ઓઢાડી રક્ષણ પૂરું પાડ્યું અને બાળકો બોલી ઉઠયા,"માતા,હવે અમને કોઈ ડર નથી. તુ અમારી પાસે છે તેથી હવે કોઈ અમારું કંઈ બગાડી શકે એમ નથી."
અને પછી સવાર પડી.આગળ એક ટેકરી હતી.છોકરાઓએ ચડવાની શરુઆત કરી.માતા પણ તેમની સાથે ટેકરી ચડવા માંડી.છોકરાઓ થાકી ગયા.માતા પણ થાકી ગઈ.પણ તેણીએ સતત પોતાના સંતાનોને સલાહ આપ્યા કરી,"થોડી ધીરજ ધરજો મારા વ્હાલાઓ...અને આપણે ટોચ પર પહોંચી ગયા છીએ."અંતે તેઓ ટોચ પર પહોંચી ગયા અને ખુશખુશાલ થઈ માતાને કહેવા લાગ્યા,"મા, જો તુ અમારી સાથે હોત તો અમે ક્યારેય અહિં પહોંચી શક્યા હોત."અને રાત્રે જ્યારે માતા તારાઓથી ભરેલા આકાશ નીચે પોઢી હતી ત્યારે વિચારી રહી,"આજ નો દિવસ કાલ કરતા સારો રહ્યો,જ્યારે મારા બાળકો મુશ્કેલી ભર્યા સમયમાં હિંમત રાખવાના અને સહનશીલતાના પાઠ ભણ્યા.ગઈ કાલે મે તેમને હિંમત આપી હતી, આજે મેં તેમને તાકાત આપી છે."
અને બીજા દિવસે ક્યાંકથી કાળાડિબાંગ વાદળા ધસી આવ્યા.પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો.યુદ્ધ,નફરત અને શેતાનિયતના વાદળ હતા .બાળકો ગભરાઈ ગયા અને એકમેકને વળગી પડ્યા.માતાએ તેમને કહ્યું:"ડરો નહિ,વાદળા પાછળ રહેલી તેજની ધાર પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો."બાળકોએ ધ્યાનથી જોયું અને તેમની નજરે અનંત ઝળહળતી રોશની પર પડી!તેઓ બિલકુલ નિર્ભય બની ગયા.તેમને અંધકાર ચીરતી જ્યોતિનું માર્ગદર્શન મળી ગયું હતું ને! રાત્રે માતાની ખુશીની કોઈ સીમા હતી,તેણે બાળકોને ભગવાનના દર્શન કરાવ્યા હતા!
અને દિવસો વિતતા રહ્યાં.મહિનાઓ અને વર્ષોના વહાણા વાયા અને માતા ઘરડી થઈ ગઈ.તેનું શરીર જીર્ણ થઈ ગયું અને તે કમરેથી વાંકી વળી ગઈ.પણ તેના બાળકો યુવાન,સશક્ત બની ગયા હતા અને ટટ્ટાર તેમજ હિંમત અને આત્મવિશ્વાસપૂર્વક ચાલતા હતા.જ્યારે રસ્તો ખરાબ હોય ત્યારે તેઓ માતાને ઊંચકી લેતા કારણ આમેય તેનુ વજનતો પીંછા જેટલું હતું!
અંતે તેઓ શિખરે પહોંચ્યા અને ત્યાં તેમણે પ્રકાશથી ઝગારા મારતો રસ્તો જોયો.ત્યાં સુવર્ણના મોટા દ્વાર ખુલેલા હતા.માતાએ કહ્યું,"અહિં મારી યાત્રાનો અંત આવે છે.અને હું જાણું છું કે અંત શરુઆત કરતા ઘણો સારો છે કારણ મારા સંતાનો હવે ટટ્ટાર અને આત્મવિશ્વાસપૂર્વક ચાલી શકે છે અને તેમના સંતાનોને પણ યોગ્ય માર્ગે દોરવા સક્ષમ બની ગયા છે."

સંતાનો બોલ્યા,"મા, તુ તો અમારી સાથે રહેશે, સુવર્ણ દ્વારમાંથી અંદર ચાલી ગયા બાદ પણ."અને તેઓ તેણીને એકલી અંદર ચાલી જતી જોઈ રહ્યાં...તેણીના અંદર ચાલી ગયા બાદ દ્વાર બંધ થઈ ગયા.સંતાનો બોલ્યા,"અમે તેને જોઈ શક્તા નથી પણ હજી તેની હાજરી અમારી સાથે અનુભવી રહ્યા છીએ.અમારી માતા જેવી મા એક સુખદ સ્મરણથી ચોકકસ કંઈક વિશેષ છે.તેણી હજી જીવંત છે અને સદાયે રહેશે..."
તમારી માતા હંમેશા તમારી સાથે હોય છે.તમે જ્યારે રસ્તા પર ચાલી રહ્યા હોવ ત્યારે બાજુએથી આવતાં ઝાડના પાંદડાઓના સળવળાટમાં તેણી રહેલી હોય છે,તમારા ધોયેલા સ્વચ્છ વસ્ત્રોની સુગંધમાં તેણી રહેલી હોય છે.જ્યારે તમે માંદા હોવ ત્યારે તમારા કપાળ પર પ્રેમ અને કાળજીપૂર્વક ફરી રહેલા હાથમાં તેણી રહેલી હોય છે.તમારા હાસ્યમાં અને તમારાં આંસુના એકે એક ટીપામાં તેણી રહેલી હોય છે.તમારું અસ્તિત્વ તેને આભારી છે.તેણી તમારું પ્રથમ ઘર છે અને તેણી નકશો છે જે તમે સતત અનુસરો છો.તેણી તમારો પ્રથમ પ્રેમ છે અને પૃથ્વીપર ની કોઈ તાકાત તેણીના પ્રેમમાં ઓટ લાવી શકવા સમર્થ નથી...સમય પણ નહિં,સ્થળ પણ નહિં અને મ્રુત્યુ...
તમારી માતાને અને તેણીના પ્રેમને ક્યારેય અવગણશો નહિં...


('ઈન્ટરનેટ પરથી')