Saturday, March 29, 2014

બ્રુસ લી ની સોનેરી શિખામણ (ભાગ - ૧)


બ્રુસ લી એક એવી પ્રખ્યાત હસ્તી છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી.તેમણે પશ્ચિમ જગતમાં માર્શલ આર્ટને લોકપ્રિય બનાવ્યું. મારધાડની ફિલ્મોમાં તેમની આગવી સ્ટાઈલને લીધે તેઓ ખૂબ લોકચાહના પામ્યાં છે. વિખ્યાત ટી.વી.શ્રેણી ' ગ્રીન હોર્નેટ'માં 'કાટો' તરીકેથી માંડી 'એન્ટર ડ્રેગન' જેવી ફિલ્મો સુધી બ્રુસલી ભરપૂર મનોરંજન તેમના બહોળા ચાહકવર્ગને પૂરું પાડ્યું છે.
તેમની એક આગવી અને અનોખી સ્ક્રીન પ્રેઝેન્સ છે. લી તેમની અનુગામી પેઢીને અનેક રીતે પ્રભાવિત કરી છે.કેટલાયે આધુનિક મિશ્ર માર્શિયલ આર્ટીસ્ટ્સોએ બ્રુસલીની માર્શિયલ આર્ટ યુક્તિઓને તેમજ હાથોહાથ લડવાની પ્રણાલીને ખૂબ પ્રેરણાદાયી ગણાવી છે.
ભલે બ્રુસલી એકશન ફિલ્મો માટે જાણીતા હોય અને ખાસ પ્રકારની માર્શલ આર્ટના પ્રણેતા હોય પણ તેમનો જીવન પ્રત્યેનો દ્રષ્ટીકોણ પણ ખુબ અનોખો અને ઉમદા છે.તેમના અનેક વિધાનો અને જીવન જીવવાની રીત શિખવતી ફિલોસોફી અનેક લોકોને પ્રેરણા આપે છે. લેખમાં લી દ્વારા અપાયેલી કેટલીક અમૂલ્ય શિખામણ વાંચીએ.
ઉભા થાઓ અને કામ કરો
"માત્ર જાણવું જરૂરી નથી,જાણેલું અમલમાં મુકવું મહત્વનું છે.માત્ર ઇચ્છા શક્તિ હોવી પૂરતું નથી, આપણે ઉભા થઈ કામ કરવું જોઇએ"
ખૂબ અગત્યની સલાહ છે.કોઈક વસ્તુની માહિતી પ્રાપ્ત કરવી સારી શરૂઆત છે,પણ જગતમાં કંઈ પણ પ્રાપ્ત કરવા માટે તમારા મેળવેલા ગ્ન્યાનને તમારાં કાર્યોમાં કે અમલમાં મૂકવું જરૂરી છે.જો તમારે કંઈક કરવું પણ હોય તો માત્ર માટે ઇચ્છા શક્તિ હોવી પૂરતું નથી.તમે જે વસ્તુઓની મગજમાં કલ્પના કરી હોય તેને સાકાર કરવાની હિંમત દાખવવી જીવન જીવવાની સાચી રીત છે.કેટલાક લોકો સ્વપ્ન જુએ છે અને અન્ય કેટલાક સ્વપ્નોને સાર્થક કરે છે.જ્યારે તમે જીવનમાં કંઈક કરવા પ્રત્યે પ્રતિબધ્ધતા વ્યક્ત કરો છો ત્યારે તમે મહાન કાર્યો કરી શકો છો.માત્ર માટે પહેલું પગલું ભરવું અને પછી ક્રમબદ્ધ આગળ ડગ માંડવા તમને મહાનતા ભણી દોરી જશે. 

વિચાર મહત્વનાં છે
"જેવું તમે વિચારશો તેવા તમે બનશો"
એક વ્યક્તિના વિચારો તેના વિષે ઘણું બધું કહી જાય છે. જે તમે બીજાઓ વિષે વિચારો છો, તમારા આસપાસના વિશ્વ વિશે વિચારો છો અને ખાસ કરીને તમારા પોતા વિશે વિચારો છો તે તમારી દુનિયા વિશેની પરિકલ્પના ઘડે છે. તમે જે રીતે વસ્તુઓને જુઓ છો તમારી પર રીતે અસર કરે છે કે તમે પ્રમાણે વર્તો છો, કાર્ય કરો છો. એક આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ જેને પોતાની કાબેલિયતમાં વિશ્વાસ છે અને જેના મગજમાં તેની કાબેલિયતની પુષ્ટી કરે તેવા વિચારો છે તે જીવનમાં સફળ થાય તેની વધુ ઉજળી શક્યતા છે. પણ વધુ પડતા વિશ્વાસને આત્મવિશ્વાસ સમજવાની ભૂલ કરવી જોઇએ નહિ. જે વ્યક્તિ પોતાના દોષો કે પોતાની નબળાઈઓને સારી રીતે સમજી શકે એટલા સ્પષ્ટ વિચારો ધરાવે છે અને તેમને અતિક્રમી જવાની ઇચ્છાશક્તિ ધરાવે છે સાચા અર્થમાં બુદ્ધિશાળી છે.
આંધળો ક્રોધ તમને ક્યાંય ના નહિ છોડે
"ગુસ્સો તમને ટૂંક સમયમાં મૂર્ખમાં ખપાવી દેશે"
જલ્દી આવેશમાં આવી જવું દુર્ગુણ છે.જ્યારે તમારી લાગણીઓ તમારા પર કાબૂ મેળવી લે ત્યારે તમે બેદરકાર બની જાઓ છો અને સીધું વિચારી શક્તા નથી અને ભૂલોની પરંપરા સર્જો છો.કોઈકે સાચું કહ્યું છે કે શાંત મગજ વિજેતા સાબિત થાય છે.જ્યારે તમે કોઈક મુદ્દા અંગે શાંત ચિત્તે વિચારો છો અને તેને તાર્કિક દ્રષ્ટીએ મૂલવો છો ત્યારે તમે હંમેશા સારા પરિણામ મેળવો છો.જ્યારે કોઈ તમને ઉશ્કેરે કે ધિક્કારે ત્યારે તેમને તમને મૂર્ખ બનાવવાનો મોકો આપશો નહિ.તમારી લાગણીઓ પર કાબૂ મેળવતા શિખશો તો તમે એક વધુ સારા માનવી બની શકશો.
(ક્રમશ:)

('ઈન્ટરનેટ પરથી')

Saturday, March 22, 2014

માફી


                માણસ તરીકે આપણે આપણને જખમ પહોંચાડનારને આસાનીથી માફી આપી શકતા નથી.આપણે અભિમાની અથવા જિદ્દી બની જઈએ છીએ અને પરિસ્થિતી સામે આંખ મિંચામણા કરી કોઈ પ્રત્યે રોષ કે ખાર મનમાં સંઘરી રાખતા હોઇએ છીએ.પણ આપણી જાણ બહાર આનાથી આપણા હ્રદયમાં કડવાશ પેદા થાય છે અને આપણે અનેક રોગોના ભોગ બનીએ છીએ.
હું માનું છું કે આપણે સૌ આધ્યાત્મિક જીવો છીએ જેઓ માનવજીવનનો અનુભવ કરે છે - પાઠ શિખવા,વિકાસ પામવા અને આત્મા અને પરમાત્મા વચ્ચેનાં જોડાણને વધુ સારી રીતે સમજવા. જેણે તમને દુભવ્યાં હોય તેને માફી આપી દેવાથી તમારા હ્રદયને શાંતિ મળે છે, તમે ભૂતકાળને ભૂલી જાઓ છો અને જેને તમે માફ કર્યા હોય તેઓ પણ તેમના પોતાના આધ્યાત્મિક વિકાસનો અનુભવ કરે છે.
હું એક દારૂડિયા સાવકા બાપ સાથે ઉછર્યો છું. તે ઘણી વાર અમને છોકરાંઓને અને અમારી માતાને મારતા. ઘણી વાર અમે તેમનાં ભયથી ઘર છોડીને ભાગી જતાં અને હોસ્પીટલ કે પોલીસ સ્ટેશને કે કોઈ અજાણી ફૂટપાથ પર કે કોઈ પાડોશીના ઘેર સૂઈ જતાં.
હું બે વર્ષનો હતો ત્યારે બધાની શરૂઆત થઈ હતી જે લગભગ હું વીસેક વર્ષનો થયો ત્યાં સુધી ચાલ્યું.ચાર ભાઈઓમાં હું સૌથી મોટો. હું ઇશ્વરનો આભાર માનું છું કે અમે બધાં જખમી હતાં છતાં અમારૂં સર ઉન્નત રાખી જીવી શક્યાં. અમારામાંના કોઈને દારૂની આદત નહોતી.
વીસી વટાવ્યાં બાદ મેં ભલે પ્રત્યક્ષ રીતે નહિ, પણ હ્રદયથી મારા પિતાને માફ કરી દીધા હતા. મારા એકેય ભાઈએ તેમને ક્યારેય માફ કર્યાં નહિ.તેઓ તેમને ધિક્કરતા હતા. મને મારી માતા માટે સૌથી વધારે દુ:ખ થતું કારણ તે હજી તેમની સાથે હતી.
મારા સાવકા પિતા હવે તો સાવ શાંત થઈ ગયેલા પણ ક્યારેક અચાનક ફરી પાછું તેમનું છટકતું અને તેઓ પેહેલા જેવા ક્રૂર બની જતા.
એક મહિના પહેલા, મેં મારા માતાપિતાની મુલાકાત લીધી.તેઓ આર્હિક સંકડામણ અનુભવતા હતા અને મને ખાતરી હતી તેમનું ફરી છટકશે. સામાન્ય રીતે મારા જલ્દી ઘેર પહોંચી જતા જેથી તેઓ સાંજનું જમણ ઘેર જમી આરામ કરી શકે. પણ રાતે તે ૧૧ વાગ્યા બાદ ઘેર પાછા ફર્યા. તેમણે ચિક્કાર પીધો હતો. માત્ર હું જાગતો હતો અને મને કોણ જાણે કેમ મારી માતાનું મારે રક્ષણ કરવાનું છે એવી સાહજિક સ્ફૂરણા થઈ હતી.
મારા તરફ જોઈ તેમણે મારી મા અને ભાઈઓને ભૂંડી ગાળો ભાંડી અને કહ્યું આજે તે બધાને ખૂબ મારશે. કોણ જાણે કેમ મારા પ્રત્યે તેમને કૂણી લાગણી હતી.અત્યાર સુધી કદાચ તેમનો સૌથી વધુ માર મેં ખાધો હતો અને મારા મનમાં ભય અને બોજની લાગણીઓ ભારોભાર ભરી હતી પણ રાતે તેમણે મને એક પણ શબ્દ કહ્યો નહિ.મેં માત્ર તેમને સાંભળ્યા કર્યા અને તેમનો ક્રોધ વ્યક્ત કરતા જોયા કર્યા.
પછી બન્યું. એવી ક્ષણ આવી જેની મેં ક્યારેય કલ્પના કરી નહોતી. તેમણે ચોધાર આંસુએ રડવા માંડ્યું અને પોતાના બધા દોષો કબૂલ્યા અને મારી પાસે માફીની માગણી કરી.
મેં ખૂબ વિચાર કર્યો.તેમનું બાળપણ પણ ઘણાં કષ્ટો સાથે વિત્યું હતું. મને રાતે ખૂબ આનંદની લાગણી થઈ.મેં તેમને શાંત કરવા બદલ હાશકારો અનુભવ્યો. એટલું નહિ,તેમણે મારી સમક્ષ પોતાનું હ્રદય ખોલી નાંખ્યું હતું અને માફી માગી હતી બદલ મને બેહદ ખુશી થઈ રહી હતી. મેં તો તેમને ક્યારનાયે માફ કરી દીધા હતા પણ પ્રત્યક્ષ આમ કરવું જુદી વાત હતી.
ભૂતકાળને આપણે બદલી શકવાના નથી અને ભવિષ્યકાળ તો હજી બનવાનો છે.આપણાં જીવનને શ્રેષ્ઠ બનાવવા માત્ર વર્તમાનકાળ આપણા હાથમાં છે. 

('ઈન્ટરનેટ પરથી')