Sunday, October 31, 2010

પરોપકારી નારાયણ ક્રિષ્ણન

બીજાઓ માટે જીવેલું જીવન જ સાચા અર્થમાં જીવ્યું ગણાય. - આલ્બર્ટ આઈનસ્ટાઈન


પ્રેમ ને ઉદારતા ક્યારેય નકામા જતા નથી.તેમના કારણે હંમેશા ફેર પડે છે. આપનાર ને લેનાર બન્ને માટે તેઓ ફાયદાકારક સાબિત થાય છે. - બાર્બરા ડિ એન્જેલિસ



* * * * * *

તે ભારતનાં કેટલાક ઘરવિહોણા ભૂખ્યાં લોકોને ગરમાગરમ ખાવાનું આપે છે.મારી જેમ તમે પણ કદાચ આ લેખ વાંચતા પહેલા તેનું નામ - નારાયણ ક્રિષ્ણન નહિં સાંભળ્યું હોય.તેની સ્વ-વચનબદ્ધતાની વાત એક દ્રષ્ટાંત સમી છે, આપણાં સૌ માટે.

નારાયણ ક્રિષ્ણન ૨૯ વર્ષનો યુવાન છે અને તે એક પ્રોફેશનલ શેફ છે.તે લોકો માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે.પણ વિશેષતા એ છે કે ક્રિષ્ણન ફક્ત પંચતારક હોટલ જ્યાં તે વ્યવસાયિક ધોરણે ખાવાનું બનાવે છે એટલેથી જ અટકી જતો નથી.તે રોજ સવારે ચાર વાગે ઉઠી જાય છે,ગરમાગરમ ખાવાનું રાંધે છે અને તે બધું પોતાની વેનમાં ભરી લગભગ ૨૦૦ કિલોમીટર જેટલો પ્રવાસ ખેડી તામિળનાડુ રાજ્યના મદૂરાઈ શહેરમાં રસ્તે રઝળતા બેઘર લોકોનું પેટ ભરી તેમને ખવડાવે છે.

ક્રિશ્ણન રોજ સવારે આ રીતે લગભગ ૪૦૦થીયે વધુ લોકોને પોતાના હાથે જમાડે છે.અને કેટલાંક જરૂર જણાય એવા લોકોના વાળ પણ તે પોતે કાપી આપે છે.

જાણીતી ન્યૂઝચેનલ સી.એન.એન. (CNN) મુજબ, આઠ વર્ષ પહેલાં, એક જાણીતી પંચતારક હોટલમાં શેફ તરીકે ફરજ બજાવતા આ પુરસ્કારવિજેતા રસોઈયાને સ્વિત્ઝરલેન્ડ ખાતે એક ઉચ્ચ હોદ્દાધારી જગા માટે જવાની તક મળી હતી.એ સમયે મદૂરાઈના એક મંદિરે દર્શન કરવા જતી વખતે તેણે એક ગરીબ બેઘર વૃદ્ધને ભૂખના માર્યા પોતાના જ મળને ખાતો જોયો.આ કરુણ કંપારી છૂટી જાય એવા દ્રષ્યે ક્રિષ્ણનનું જીવન બદલી નાંખ્યું.

પોતાના માતાપિતાની નારાજગી વહોરીને, સી. એન. એન મુજબ, ક્રિષ્ણને તેના કારકિર્દી વિષયક ધ્યેયો ત્યજી દઈ પોતાનું જીવન તેમજ વ્યવસાયિક પ્રશિક્ષણ, જેઓ પોતે પોતાનું ધ્યાન રાખી શક્તા નથી તેવા લાચાર નિસહાય લોકોની સેવામાં ખર્ચી નાંખવાનું નક્કી કર્યું.તેણે પોતે એક નોન-પ્રોફિટ સંસ્થા અક્ષય ટ્રસ્ટ સ્થાપી તેના દ્વારા બાર લાખ લોકોને ગરમાગરમ ખવડાવ્યું છે ને હજી વધુ બેઘર લોકોને હવે તે આ સંસ્થા દ્વારા આશ્રય આપવા ઇચ્છે છે.



સી. એન. એન દ્વારા વર્ષ ૨૦૧૦ માટેના ૧૦ સાચા હીરો માં ક્રિષ્ણન એક માત્ર ભારતીય છે.વિશ્વભરની જાહેર જનતા દ્વારા એક ઓન્લાઈન પોલ દ્વારા આ દસ હીરોઝ માંથી એકને સર્વષ્રેષ્ઠ હીરો ચૂંટી કાઢવામાં આવશે.જો આપણે વધુમાં વધુ ભારતીયો ક્રિષ્ણનને વોટ આપીશું તો તે આ ઓન્લાઈન પોલમાં જીતી શકે છે. જે ફક્ત ક્રિષ્ણન માટે જ નહિં, આપણાં સૌ માટે અને આપણાં દેશ - ભારત માટે ગૌરવની વાત બની રહેશે.



ટોપ ૧૦ની યાદીમાં નામાંકિત થવા માટે ક્રિષ્ણનને અમેરિકન ડોલર ૨૫૦૦૦ની ઇનામી રાશિ તો મળી જ છે પણ આપણે બધા તેને મત આપી જીતાડીશું તો ક્રિષ્ણનની વધુ એક લાખ અમેરિકી ડોલર ઇનામમાં મળશે.ક્રિષ્ણનનું સ્વપ્ન પૂર્ણ કરવા અક્ષય ટ્રસ્ટને ઘણાં મોટા નાણા ભંડોળની જરૂર છે,જે આ ઇનામી રાશી દ્વારા સિદ્ધ થઈ શકશે.ચાલો આપણે સૌ ક્રિષ્ણનને તેનું આ સ્વપ્ન સિદ્ધ કરવામાં તેની મદદ કરીએ.

ક્રિષ્ણનને વોટ આપવા http://heroes.cnn.com/vote.aspx આ વેબ સાઈટ પર જાઓ.

આ ઓન્લાઈન પોલ ૧૮મી નવેમ્બર સુધી ચાલુ રહેશે.

એક સારા કાર્યમાં સહભાગી બનીને પણ તમે પોતે તે સારુ કાર્ય કર્યા જેટલું પુણ્ય કમાઓ છો. આ ઓન્લાઈન પોલ વિષે શક્ય એટલા વધુ લોકોને - તમારા મિત્રો,સહપાઠીઓ,સહકર્મચારીઓ,સંબંધીઓ વગેરેને જાણ કરો ને ક્રિષ્ણનને સી. એન. એન હીરો બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરો.

Saturday, October 23, 2010

માણસ જેણે પોતાનું મૃત્યુ વ્હોર્યું...

એક માણસ રેલવેમાં કામ કરતો હતો.એક વાર એમ બન્યું કે એક રાતે તે પોતાનું
નિયત કામ કરવા માટે એક ફ્રીઝર ઉતર્યો અને અકસ્માતે ત્યાંનુ બારણું બંધ થઈ ગયું.તે
ત્યાં ફસાઈ ગયો.

તેણે મદદ માટે ઘણી બૂમો પાડી પણ ઘણું મોડું થયું હોવાથી આસપાસમાં કોઈ ન
હોવાથી કોઈએ તેની બૂમો ન સાંભળી. તેણે બારણું તોડી પાડવાના અથાગ પ્રયત્નો
કર્યા પણ તેની મહેનત નિષ્ફળ ગઈ.

હવે તેને ભય લાગવા માંડ્યો અને જેમ જેમ સમય પસાર થતો ચાલ્યો તેમ તેમ તેને
વધુ ને વધુ ઠંડી લાગવા માંડી.

ભય અને ઠંડી સાથે તેને વધારે ને વધારે અશક્તિ પણ લાગવા માંડી.

તેણે ત્યાંની ભીંત પર લખ્યું:
"મને ખૂબ ઠંડી લાગી રહી છે.હું ભારે નબળાઈનો અનુભવ કરી રહ્યો છું.ઠંડી
અને અશક્તિ વધતાં જ જાય છે...હું મરી રહ્યો છું. કદાચ આ મારા છેલ્લા
શબ્દો હશે..."

બીજે દિવસે સવારે જ્યારે બીજા કામદારોએ ફ્રીઝર કમ્પાર્ટમેન્ટનો દરવાજો
તોડી પાડ્યો ત્યારે તેમને અંદરથી પેલા માણસની લાશ મળી આવી. આ વાર્તામાં
કરુણ વળાંક એ હતો કે થોડા દિવસો અગાઉ તે ફ્રીઝીંગ કમ્પાર્ટમેન્ટનું ઠંડી
ઉત્પન્ન કરતું સાધન ખરાબ થઈ ગયું હતું.

બિચારા પેલા મરી ગયેલા માણસને સાધન ખરાબ થઈ ગયું હોવાની જાણ નહોતી અને
તેને તો એવો જ ખ્યાલ હતો કે ઠંડી ઉત્પન્ન કરનારું સાધન બરાબર કામ કરે જ
છે. આથી તેને તો વધુ ને વધુ ઠંડી અને અશક્તિનો અનુભવ જ થતો રહ્યો અને
છેવટે તેણે પોતાનો જીવ ગુમાવ્યો.


સફળતાના રહસ્યો:

આપણાં અર્ધજાગૃત મનને છેતરી શકાય છે.આપણું અર્ધજાગૃત મન જાગૃત મન પાસેથી
જ આદેશો સ્વીકારે છે.તેની પાસે જાગૃત મન દ્વારા અપાતા આદેશ કે માહિતીનો
અસ્વીકાર કરવાની બિલકુલ ક્ષમતા નથી હોતી.

બિચારા મરી ગયેલા પેલા માણસે જાગૃત અવસ્થામાં એમ વિચાર્યું કે તેનું શરીર
ઠંડું પડી રહ્યું છે,તેની શારીરિક તાકાત ધીમે ધીમે ક્ષીણ થઈ રહી છે અને
તે મરી રહ્યો છે.તેના અર્ધજાગૃત મને તેના જાગૃત મન પાસેથી આ આદેશ અને
માહિતી મેળવ્યા અને તેને સ્વીકારી તેને ખરેખર અમલમાં મૂકવાનું શરૂ
કર્યું. તેના શરીર પર આની અસર થવા માંડી. અંતે તે મૃત્યુના મુખમાં ધકેલાઈ
ગયો.

ક્યારેક અતિ ઝડપી જીવનની ઘરેડમાં થંભી જતા પણ શીખો અને જીવનને માણો.અતિ
ઝડપી ગતિએ વહેતા જીવનમાં તમે ફક્ત કુદરતી સૌંદર્ય અને આસપાસના નાના નાના
આનંદોને જ માણવાનું નથી ચૂકી જતાં પણ તમે ક્યાં અને શા માટે જઈ રહ્યા છો
તેનું પ્રમાણ ભાન પણ ભૂલી જાઓ છો.

('ઈન્ટરનેટ પરથી')

૨૯ યાદ રાખવા જેવી વાતો

[1] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.


[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.

[3] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !

[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.

[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.

[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!

[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !

[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !

[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.

[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.

[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.

[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.

[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !

[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !

[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.

[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !

[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.

[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !

[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.

[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.

[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.

[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !

[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !

[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.

[28] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !

[29] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ.


(ઇન્ટરનેટ પરથી)

તમે સુખી છો ?

નવાગંતુક માર્કેટિંગ ડિરેક્ટર નાં સ્વાગત સમારોહમાં એમની સાથે આવેલ એમની પત્નીને અન્ય સ્ત્રીઓએ પૂછ્યું “તમારા પતિથી તમે સુખી છો ને?”

નજીક જ બેઠેલા પતિદેવ અપેક્ષિત્ જવાબ ની આશામાં , વિશ્વાસ સાથે , થોડા ટટ્ટાર થઇ ગયા.


એમને ખાતરી હતી કે એમની પત્ની નો જવાબ હકારમાં જ હશે.


એમને અને બીજા બધાંને પત્નીનો જવાબ સાંભળીને સખત આંચકો લાગ્યો જયારે તેણે કહ્યું,


“ના, હું મારા પતિથી સુખી નથી !”


આખા રૂમમાં સ્તબ્ધતા છવાઈ ગઈ!


પતિદેવ તો જાણે પથ્થરનું સ્ટેચ્યુ!

એ માની જ નહોતા શકતા કે એમની પત્ની આવું કહેશે- એ ય આટલા બધા લોકોની વચ્ચે.


પોતાના માથા પરનો સ્કાર્ફ સરખો કરતાં કરતાં એ સ્ત્રી એ આગળ કહ્યું :

“ના, હું એમના-થી સુખી નથી, હું [જાતે] સુખી છું !”


હું સુખી છું કે કેમ, એ બાબત એમના પર આધારીત નથી , એ બાબત મારા પર આધાર રાખે છે!


“મારૂં સુખ ફક્ત મારા પર આધાર રાખે છે. ”

જિંદગીની દરેક પરિસ્થિતિમાં, દરેક ક્ષણમાં હું સુખનો અનુભવ કરવાનું પસંદ કરૂં છું.


સુખનો અનુભવ કરવા માટે મારે બીજા લોકો પર, બીજી બાબતો પર કે પરિસ્થિતિઓ પર આધાર રાખવાનો હોય તો તો હું મુશ્કેલીમાં મૂકી જઉં!

આપણી જિંદગીમાં અસ્તિત્વ ધરાવે છે એ તમામ વસ્તુઓ પરિવર્તનશીલ છે : માણસો, સંપત્તિ, મારૂં શરીર, હવામાન, ખુશીઓ
આ તમામ પરિવર્તનશીલ છે..

મારી જિંદગીમાં હું કેટલીક બાબતો શીખી છું : હું સુખી છું એવો નિર્ણય હું કરી લઉં છું

બાકીની તમામ બાબતો “અનુભવો” યા તો “પરિસ્થિતિઓ” નો વિષય છે!

જેમ કે મદદરૂપ થવું, સમજવું, સ્વીકારવું, સાંભળવું, સધિયારો આપવો:


મારા પતિ સાથે હું આમ જ જીવું છું.

સાચું સુખ મળે છે ક્ષમાવાન થવામાં અને તમારી જાતને ને બીજા બધાંને ચાહવામાં.


.....મને સુખી કરવાની જવાબદારી મારા પતિ ની નથી


એમની પાસે પણ એમના પોતાના “અનુભવો” કે “પરિસ્થિતિઓ” છે!
અમારા સંજોગો ગમે તે હોય , પણ હું એમને ચાહું છું, અને એ મને ચાહે છે
એ બદલાતા રહે છે, હું પણ બદલાતી રહું છું.તમામ વસ્તુઓ બદલાતી રહે છે

ક્ષમાશીલતા હોય, સાચો પ્રેમ હોય અને પરિવર્તનો તો હમેશા આવે જ છે એ જોયું હોય તો બંનેએ એક બીજા માટે પોતાના હદયમાં રહેલા પ્રેમ વડે આવા પરિવર્તનોને ઝીલવા જોઈએ.
જો આપણે બેઉ એકબીજાને પ્રેમ કરતાં રહીએ અને માફ કરતાં રહીએ તો પરિવર્તનો એવા “અનુભવો યા પરિસ્થિતિઓ” બની રહેશે જે આપણને સમૃદ્ધ કરે અને શક્તિશાળી બનાવે.

એમ નહી થાય તો આપણે ફક્ત “ સાથે જીવન ગુજારનાર” બની રહેશું.


સાચો પ્રેમ કરવો કઠણ છે. સાચો પ્રેમ એટલે અપેક્ષારહિત્ ક્ષમા આપવી “અનુભવો યા પરિસ્થિતિઓ”ને છે એમ જ સ્વીકારવા અને એમને સાથે રહીને ઝીલવા.


('ઈન્ટરનેટ પરથી')

મહાત્મા ગાંધીજીની રત્નકણિકાઓ (ગાંધી જયંતિ સ્પેશિયલ)

* તમારે માણસાઈમાંથી વિશ્વાસ ગુમાવવો જોઈએ નહિં. માણસાઈ એક મહાસાગર છે, જો મહાસાગરના એકાદ-બે ટીપાં ગંદા હોય તો આખો મહાસાગર ગંદો બની જતો નથી.



* ફક્ત એક હ્રદયની એકાદ કાર્ય દ્વારા જ સચ્ચાઈપૂર્વક કરેલી સેવા હજારો માણસોની પ્રાર્થના કરતાં પણ વધુ સારી છે.


* ચિંતા જેટલું વધુ નુકસાન શરીરને બીજું કંઈ જ પહોંચાડતું નથી અને જેને ઇશ્વરમાં વિશ્વાસ હોય તેણે કદી કોઈ પણ બાબતની ચિંતા કરતા શરમ અનુભવવી જોઈએ.


* પ્રાર્થનામાં હ્રદય વગર શબ્દો હોય એ કરતાં શબ્દો વગરનું હ્રદય હોય એ વધારે સારું છે.


* મિત્રો સાથે મિત્રાચારી તો સામાન્ય છે.પણ જે પોતાને તમારો શત્રુ ગણાવતો હોય તેના પ્રત્યે મિત્રાચારી દાખવવી એ સાચા ધર્મનો મૂળ સાર છે.


* મારા માટે એ સદાય રહસ્ય રહ્યું છે કે કઈ રીતે બીજાને શરમજનક પરિસ્થિતીમાં મૂકી કે બીજાની અવહેલના કરી કોઈ મનુષ્ય પોતાની જાતને માન આપી શક્તા હશે?


* મનુષ્યની જરૂરિયાતને પહોંચી વળે એટલું આ જગતમાં પ્રાપ્ય છે પણ મનુષ્યના લોભને પહોંચી વળે એટલું નહિં.


* હું મનુષ્યના સારા ગુણો પ્રત્યે જ ધ્યાન કેન્દ્રિત કરું છું.હું પોતે પણ ક્ષતિરહિત નથી તો હું બીજાઓમાં કઈ રીતે દોષ જોઈ શકું?


* જો આપણે જગતને સાચે જ શાંતિના પાઠ ભણાવવા હોય અને આપણે યુદ્ધ વિરુદ્ધ જંગ છેડવો હોય તો શરૂઆત બાળકોને શિખવવાથી કરવી જોઈએ.


* જ્યારે તમે જે વિચારો છો, તમે જે બોલો છો અને તમે જે કરો છો તેમાં સુસંગતતા હોય ત્યારે જ તમે સુખી થઈ શકો છો.


* જ્યારે હું સૂર્યાસ્તની અદભૂતતાની કે ચંદ્રની સુંદરતાની પ્રશંસા કરતો હોઉં છું ત્યારે મારો આત્મા પરમાત્માની પૂજા-પ્રાર્થનામાં વધુ વિસ્તાર પામતો હોય છે.


* ક્યારેક ઇશ્વર જેના પર તે પોતાની ખરી કૃપા વરસાવવા ઇચ્છતો હોય તેની સૌથી વધુ કસોટી કરતો હોય છે.


* તમારી જાતની સાચી ઓળખ મેળવવા તમારે તમારી જાતને બીજાઓની સેવામાં ડૂબાડી દેવી જોઈએ.


('ઈન્ટરનેટ પરથી')